ગુજરાત
News of Sunday, 2nd April 2023

20 વર્ષે આવ્યો કેસનો ચુકાદો: પંચમહાલના કાલોલમાં 2002માં થયેલા ચકચારી ટેમ્પાકાંડના 39 આરોપીઓ નિર્દોષ જાહેર

પંચમહાલમાં 2002માં કોમી રમખાણોના દાવાનળની આગમાં કાલોલ શહેર અને દેલોલ ગામમાં ફાટી નીકળેલા રમખાણમાં ટેમ્પાકાંડના કેસમાં હાલોલ સેશન્સ કોર્ટે 39 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા : 39 પૈકી 13 આરોપીના મૃત્યુ થઈ ચુક્યા છે

ગોધરા: પંચમહાલના કાલોલમાં વર્ષ 2002માં સર્જાયેલા ટેમ્પાકાંડના 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હાલોલ એડિશનલ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં 20 વર્ષ, 4 મહિના અને 13 દિવસ ચાલેલી ન્યાયિક લડતને અંતે શુક્રવારે 2 મહિલા સહિત 39 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો જાહેર કર્યો છે.

(5:44 pm IST)