News of Thursday, 2nd April 2020
નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા અન્નદાનનું સેવાકાર્ય લોકો માટે આશીર્વાદરૂપ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુરુવારે રામનવમી નિમિતે “વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા કોરોના વાયરસ જેવી ગંભીર પરિસ્થિતિના કારણે આર્થિક રીતે પછાત વર્ગના પરિવાર તેમજ ફૂટપાથ પર રહેતા લોકોને પ્રસાદ અને ભોજન આપી સેવાનું કાર્ય કરવામાં આવ્યુ હતુ.સાથે મિત ગ્રુપના સભ્યો દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો એ બદલ મિત ગ્રુપનો આભાર અને તમામ અન્ન દાતાઓનો પણ આભાર વ્યક્ત કયો હતો.દેશમાં હાલ કોરાના વાયરસના હાઉ વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે.
લોકડાઉનમાં ધંધા રોજગાર પણ બંધ હોય એવા સમયે અન્નદાન કરીને માણસાઈ બતાવી છે એવા દરેક અન્નદાતા ઓનો પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા ઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
(10:28 pm IST)