ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાજ્યમાં કોરોના વકર્યો : નવા 454 કેસ નોંધાયા : વધુ 361 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4411 : કુલ 2,63,837 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 9 જિલ્લામાં એકપણ કેસ નહીં : રાજ્યમાં વધુ 56,489 લોકોને રસી અપાઈ

રાજ્યમાં આજે અમદાવાદમાં 114 કેસ, સુરતમાં 87 કેસ, વડોદરામાં 86 કેસ, રાજકોટમાં 52 કેસ, આણંદમાં 11 કેસ, જૂનાગઢ અને સાબરકાંઠામાં 10-10 કેસ, ગાંધીનગર ભાવનગર, ખેડા અને કચ્છમાં 9-9- કેસ, ભરૂચમાં 8 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 2522 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 454 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 361 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 454 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 361 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,63,837 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં  મૃત્યુઆંક 4411 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,44 થયો છે

    રાજ્યમાં હાલ 2522 એક્ટિવ કેસ છે, જેમાંથી 37 લોકો વેન્ટિલેટર પર અને 2485 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,63,837 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે,  બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 9,41,602 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,97,351 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 56,489 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

 રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર ,ડાંગ, નવસારી, નર્મદા, પોરબંદર,સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 9 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

 રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 56,489 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 454 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 114 કેસ, સુરતમાં 87 કેસ,વડોદરામાં 86 કેસ, રાજકોટમાં 52 કેસ, આણંદમાં 11 કેસ, જૂનાગઢ અને સાબરકાંઠામાં 10-10 કેસ, ગાંધીનગર ભાવનગર , ખેડા અને કચ્છમાં 9-9- કેસ, ભરૂચમાં 8 કેસ નોંધાયા હતા

(7:31 pm IST)