ગુજરાત
News of Tuesday, 1st December 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન સહિત કુલ 4 કોરોના સંક્રમિત થતા સ્ટાફ અને દર્દીઓમાં ગભરાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સતત દર્દીઓ વચ્ચે રહેતા સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ પણ કોરોના સંક્રમિત થતા ત્યાં હાજર બાકી સ્ટાફ અને દર્દીઓમાં કોરોના બાબતે ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

જેમાં આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર. એસ.કશ્યપના જણાવ્યા મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન(CDMO)સાથે ડેન્ટલ સર્જન ડેન્ટિસ્ટ તેમજ પેથોલોજીસ્ટ સહિત કુલ 4 કોરોના સંક્રમિત થયાનું રિપોર્ટમાં આવ્યું છે.જેથી બાકી હાજર સ્ટાફ તેમજ દર્દીઓમાં કોરોના બાબતે ગભરાટ જોવા મળી રહ્યો છે.

(10:49 pm IST)