ગુજરાત
News of Friday, 1st December 2017

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ :સરકારના વાહનનો ઉપયોગ કરવા મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈ અત્યારે આચારસંહિતા અમલી છે વડોદરામાં ચુંટણી પ્રચાર માટે આવેલ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રાએ ગુજરાત સરકારના વાહનનો ઉપયોગ કરતા કોંગ્રેસે મામલે ચુંટણીપંચમાં ફરીયાદ કરી છે.

    દરમિયાન સંબીત પાત્રાએ વડોદરામાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણી જાતિવાદ, વંશવાદ વિરુદ્ધ વિકાસવાદની ચુંટણી છે. દેશનો વિકાસ દર વધીને . ટકા થયો છે.

 

(10:43 pm IST)