ગુજરાત
News of Friday, 1st November 2019

સરકારી લો કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મનોજભાઇ ઉપાધ્યાયનું કાલે અમદાવાદ ખાતે બેસણું

રાજકોટ : અહીંની એ.એમ.પી. લો કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ તથા ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગરના પૂર્વ જોઇન્ટ ડાયરેકટર મહેન્દ્રકુમાર (મનોજભાઇ) રવિશંકર ઉપાધ્યાય તે રેખાબેનના પતિ તથા ડો. કૌશલરાજ (પ્રો. મહેસાણા લો-કલેજ)ના પિતાશ્રી તથા તસ્મૈના દાદાનું તા. રપના દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું આવતીકાલે તા. ર ને શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ્થાન ૩૦ર, અદ્વૈત એપાર્ટમેન્ટ અલય ફલેટ સામે, લીવીંગ ઇન્ટીરીયર્સ શો-રૂમ પાછળ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે વિજય ચાર રસ્તા નવરંગપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે. (મો. ૯૮૭૯૦ ૪ર૪૧ર)

(3:30 pm IST)