વડાપ્રધાન વિરૂદ્ધ ભડકાઉનિવેદન કેસમાં મેવાણીને જામીન
ચિત્રદુર્ગ, તા. ૧ :. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ તીખા નિવેદન કેસમાં જીલ્લા અદાલતે ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ૨૫ હજારના જાત મુચરકાના શરતી જામીન આપ્યા છે.
રાજસ્થાનમાં ચિત્રદુર્ગ જીલ્લામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જીજ્ઞેશ મેવાણીએ એવુ ભડકાઉ નિવેદન કર્યુ હતુ કે યુવા બેરોજગારોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશી ઉઠાવીને ફેંકવી જોઈએ.
આ નિવેદન સામે રાજસ્થાનના ચિત્રદુર્ગના એક નાગરીકે પોલીસમાં ફરીયાદ કરતા જીજ્ઞેશ તથા પ્રેસ કોન્ફરન્સના સ્થાનિક આયોજક સામે ફરીયાદ નોંધાવતા કેસમાં સુનાવણી નિકળતા જીજ્ઞેશ મેવાણી સામે અદાલતે સમન્સ કાઢયુ હતુ તે પ્રકરણે જીલ્લા અદાલતે તેને ૨૫ હજારના જાત જામીન આપ્યા હતા.