અમદાવાદના નરોડા વિસ્તારમાં કલરકામ કરી રહેલ સગીર ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાથી મૃત્યુ
અમદાવાદ: નરોડા વિસ્તારમાં ગઇકાલે કલરકામ કરી રહેલા સગીરનું ચોથા માળેથી પડી જતાં મોત થયું હતું. આ બનાવ અંગે નરોડા પોલીસે મૃતક સગીરના માસા સામે સલામતીના સાધાનો રાખ્યા ન હોવાનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે સરદાનગર નોબલનગર પાસે ચામુંડા હાઉસમાં રહેતા અને છૂટક કલર કામની મજૂરી કરતા અનીલકુમાર રામકુમાર બ્રાહ્મણ (ઉ.વ.૩૪)એ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા હંસપુરા પાસે દેવનંદન સંકલ્પ સિટીમાં રહેતા સંદીપકુમાર ઉર્ફે સંજય પ્રેમકુમાર શર્મા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ફરિયાદીના બનેવી થાય છે અને કલર કામનો વ્યવસાય કરે છેફરિયાદીની નાની બહેનનો ૧૭ વર્ષના પુત્રને તેઓ કલરકામ કરવા માટે સાથે લઇ ગયા હતા અને તા.૨૯ના રોજ નરોડા સ્થાપત્ય એલીગન્સ નામની બિલ્ડીંગના ચોથા માળે સગીર કલરકામ કરતો હતો આ સમયે અચાનક ટેબલ પરથી નીચે પટકાયો હતો. જેથી શરીરમાં આંતરિક તથા કાન અને નાકમાંથી લાહી નીકળતાં બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન મોત થયુનં હતું.