News of Monday, 1st October 2018
ટ્રેનમાં પીરસાતા નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવા અમદાવાદના મુસ્લિમ બિરાદરની હાઇકોર્ટમાં PIL
અમદાવાદ : ટ્રેનમાં પીરસાતા નોન-વેજિટેરિયન ફૂડ સામે વાંધો ઉઠાવતી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે રેલવે સત્તાધિશોને ટ્રેનમાં નોન-વેજ ફૂડ પીરસવાનું બંધ કરવાનું અથવા તો નોન-વેજિટેરિયન પેસેન્જર્સને અલગ બેસાડવાના નિર્દેશો આપવામાં આવે. શુક્રવારે એડવોકેટ ઈ.ઈ. સૈયદ દ્વારા આ PIL દાખલ કરવામાં આવી છે. (૪૦.૨)
(12:11 pm IST)