તારાપુર નજીક અજાણ્યા વાહનની હડફેટે સાયકલ ચાલકનું મોત
તારાપુર:મા આજે ડેરીએ દૂધ ભરવા માટે જઈ રહેલા એક યુવાનની સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર તારાપુરના ગાડીયાપરા ખાતે રહેતો વીરસંગભાઈ રણછોડભાઈ પરમાર (ઉ. વ. ૪૫)આજે સવારના સુમારે દૂધ ભરવા માટે સાયકલ પર તારાપુર ડેરીએ જઈ રહ્યો હતો. પોણા આઠેક વાગ્યાના સુમારે ફાઉન્ટન હોટલ અને નીશા પાર્ટી પ્લોટની વચ્ચે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં વીરસંગભાઈ રોડ પર પટકાયા હતા જેમાં માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.ઘટનાની જાણ તારાપુર પોલીસને કરવામાં આવતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો લઈને તારાપુર સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી હતી.