ગુજરાત
News of Sunday, 1st August 2021

રાજપીપળા ટાઉનહોલ ખાતે તા.૮ મી ઓગષ્ટે જિલ્લા કક્ષાનો શહેરી જનસુખાકારી દિવસનો કાર્યક્રમ યોજાશે

રૂા.૨.૩૩ કરોડના ખર્ચે જુદા જુદા ૧૦ જેટલા વિકાસ કામોનું થનારૂં ખાતમુહુર્ત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય  મંત્રી નિતિનભાઇ પટેલના  નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ દરમિયાન યોજાનારા રાજ્યવ્યાપી કાર્યક્રમો ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ તા.૮ મી ઓગષ્ટ,૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગે શહેરી જનસુખાકારી દિવસનો  જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
 રાજપીપલા ખાતે યોજાનારા આ કાર્યક્રમ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ફાળવાયેલી સહાયની રકમનો ચેક નગરપાલિકાને એનાયત કરાશે તદ્ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રૂા.૨.૩૩ કરોડના ખર્ચે જુદા જુદા ૧૦ જેટલા વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાશે.

 

(11:01 am IST)