વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક સાથે 12 કોરોના પોઝિટીવ કેસ આવતા અરેરાટી મચી જવા પામી
વડોદરા:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો શોધવા કરાતી કામગીરી દરમિયાન વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામે ૧૨ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સંક્રમિતોને કોરોનાના કોઇ લક્ષણો જોવા મળ્યા નથી.પરંતુ સલામતી ખાતર તેમને સારવાર આપવામાં આવી રહી છે.
આગામી સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર બીમારી ધરાવતા હોય તેવા ગ્રામજનોની પણ અલાયદી તપાસ કરવામાં આવનાર છે.જ્યારે,હાલમાં રોજ ૨૦૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.જેની સંખ્યા પણ વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.