ગુજરાત
News of Saturday, 1st August 2020

દર્દી વેન્ટીલેટર પર છે એટલે હાલત અતિ ગંભીર જ છે તેવું નથીઃ વેન્ટીલેટરના મુખ્ય પાંચ તબક્કાઃ ખાસ જાણવા જેવું

શરીરમાં ઓકસીજનનું પ્રમાણ કેટલું ઓછું તથા કયાં તબક્કામાં કેટલા અને કઈ રીતે અપાઈ છે ??

અમદાવાદ,તા.૧:કોરોના વાયરસની અસર દર્દીના ફેફસા પર મહદઅંશે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓકિસજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓકિસજન પર રાખવું જરૂરી બની રહે છે.સામાન્યપણે ઓકિસજન પર રાખ્યા છે આ શબ્દ સામાન્ય જનતામાં પ્રચલિત છે.ઓકિસજન પર દર્દી હોય એટલે વેન્ટીલેટર પર જ છે તેમ દ્યણાંય માની બેસે છે પરંતુ તેવું નથી.

કોરોના સંદર્ભે સિવિલ હોસ્પિટલ એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહ જણાવે છે કે દર્દી જયારે અતિગંભીર હાલતમાં પહોંચે ત્યારે તેનામાં શ્વાચ્છોશ્વાસની તકલીફ જોવા મળે છે. શરીરમાં ઓકિસજનની કમી જણાઈ આવતા વેન્ટીલેટર મારફતે ઓકિસજન આપવામાં આવે છે જે પાંચ તબક્કા પ્રમાણે અલગ નિતરી આવે છે.

શરીરમાં ઓકિસજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા દ્યટતુ જણાઈ આવે તેવી વ્યકિતમાં નેઝલ પ્રોંગ એટલે નાકમાં બે નળી નાંખીને ઓકિસજન આપવામાં આવે છે.આ પ્રક્રિયા દ્વારા ઓકિસજન સેચ્યુરેશનનું પ્રમાણ ૯૩%સુધી જાળવવામાં આવે છે. આ તબક્કામાં ૪૦ થી ૬૦% સુધી FIO2 (Fraction of Inspired Qxygen) જાળવી શકાય છે

 બીજા તબક્કામાં જયારે FIO2ની જરૂરીયાત વધારે જણાઈ આવે ત્યારે એન.આર.બી.એમ.(નોન રી બ્રીધીંગ માસ્ક) લગાડવામાં આવે છે કે જેમાં ફકત મોં અને નાક કવર થાય તે રીતે માસ્ક મૂકી ઓકિસજન આપવામાં આવે છે.જે માસ્કમાં રીઝર્વ બેગ પણ જોડાયેલી હોય છે જેમાં ૬ થી ૧૫ લીટર ઓકિસજન આપી તેનું પ્રમાણ ૯૦ થી ૯૫% સુધી જાળવી શકાય છે. ત્યારબાદના તબક્કામાં હાઇ ફ્લો નેઝલ ઓકિસજનેશન એટલે કે નાક દ્વારા જ ઓકિસજન આપવામાં આવે છે જેમાં ઓકિસજનનો ફ્લો વધારે રાખવામાં આવે છે.તેમાં ઙ્ગહ્યુમીડીફાયર હાઈ ફ્લો સાથે જોડવામાં આવે છે.આ તબક્કામાં દર્દી સભાન અવસ્થામાં હોય છે જેમાં નેઝલ કેન્યુલા દ્વારા ૧૦ થી ૭૫ લીટર સુધી ઓકિસજનનો ફ્લો આપી શકાય છે. આ તબક્કામાં FIO2નું પ્રમાણ ૪૦ થી ૧૦૦% સુધી જાળવી શકાય છે આ તબક્કો દર્દીને વધારે માફક આવે છે.

 ઉકત ત્રણેય ઓકિસજનના તબક્કા પછી પણ સ્થિતિ નિયંત્રણમાં ન રહે અને દર્દીની હાલત ગંભીર બનતી જણાય ત્યારે બાય પેપ માસ્ક એમાં પણ નોન ઇનવેઝીવ વેન્ટિલેટર કે ઙ્ગજેમાં શ્વાસનળીમાં નળી નાંખ્યા સિવાય માસ્ક દ્વારા વેન્ટીલેટરથી દર્દીને શ્વાસ આપવામાં આવે છે..જેમાં બે અલગ અલગ દબાણ રાખી દર્દીને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસમાં મદદરૂપ બને તે રીતે તબક્કાવાર ઓકિસજનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જેમાં કૃત્રિમ રીતે ૪૦ થી ૧૦૦ ટકા સુધી ઓકિસજન પ્રેશર નક્કી કરી શકાય છે.

આ તબક્કામાં Awake Pronning (દર્દીને સભાન અવસ્થા) જાળવી શરીરમાં SPO2 નું પ્રમાણ વધારી શકાય છે.

આ તમામ તબક્કાઓમાં છેલ્લે ઇનવેઝીવ વેન્ટીલેટરનો તબક્કો ખૂબ જ સંવેદનશીલ અને પડકારજનક રહેલો છે. આ તમામ તબક્કાઓ પછી પણ શરીરમાં ઓકિસજનનુ઼ં પ્રમાણ ન જળવાય, દર્દી બેભાન કે અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય, શરીરમાં ઓકિસજન અને કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં સમતોલન ન જળવાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે દર્દીને ઇન્ટ્યુબેશન કરીને એટલે કે ટ્રેકીયા (શ્વાસનળીમાં) નળી નાંખીને , તે નળીને વેન્ટીલેટર સાથે જોડીને દર્દીને સંપૂર્ણપણે વેન્ટીલેટરથી શરીરમાં ઓકિસજન પહોંચતું કરવામાં આવે છે.આ ઙ્ગઈન્ટ્યુબેટ પ્રક્રિયામાં દર્દીના ફેફસાને નુકસાન ન પહોંચે તે રીતે સમગ્ર પધ્ધતિ હાથ ધરવામાં આવે છે. પરંતુ વૈશ્વિક રેકર્ડ પ્રમાણે છેલ્લા તબક્કામાં પહોંચ્યા બાદ વ્યકિતના જીવ બચવાની શકયતાઓ ઘણી ઓછી રહેલી હોવાનું જોવાયું છે.

:સંકલન : 

અમિતસિંહ ચૌહાણ

(11:17 am IST)