News of Friday, 1st July 2022
આણંદમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત :વન તળાવ વિસ્તારમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત
ચાર જેટલા પશુઓનું પણ પાણીમાં ડૂબી જતા મોત ;100 જેટલા પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં મુશ્કેલીમાં મુકાયા
આણંદમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વન તળાવ વિસ્તારમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે જ્યારે ચાર જેટલા પશુઓનું પણ પાણીમાં ડૂબી જતા મોત થયા છે. તો 100 જેટલા પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
(9:01 pm IST)