News of Friday, 1st July 2022
આવતીકાલે રાજપીપળા ખાતે નીકળનારી રથયાત્રામાં 310 પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રાધાકૃષ્ણ મંદિરેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે જેમાં નર્મદા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવા આયોજન કરવામાં આવ્યું છે
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ના માર્ગદર્શન મુજબ ટાઉન પી.આઇ.જે.કે પટેલ દ્વારા રાજપીપળા ખાતે નીકળનારી રથયાત્રા માટે રાજપીપળા શહેર માં કુલ 310 પોલીસ અધિકારીઓ અને જવાનો મૂકવા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડી.વાય.એસ.પી- 02, પી.આઇ - 03,પી.એસ.આઇ-10,પોલીસ જવાનો-118, હોમગાર્ડ જી.આર. ડી-137 અને ટ્રાફિક બ્રિગેડ જવાનો -40 મળી કુલ 310 પોલીસ સ્ટાફ રથયાત્રા માટે તૈનાત કરાશે તેમ ટાઉન પી.આઇ જે.કે.પટેલ દ્વારા જાણવા મળ્યું છે.
(10:30 pm IST)