ઊંઝા:રાજ્યની તમામ વીજકંપનીઓના 15 લાખથી પણ વધુ વીજકર્મીઓ ખાનગીકરણ રોકવા માટે ધારણ કરશે કાળી પટ્ટી
ઊંઝા:વીજક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા ખાનગીકરણનો વિરોધ કરવા માટે રાજ્યની તમામ વીજકંપનીઓના ૧૫ લાખથી વધુ વીજકર્મીઓ પહેલી જૂને કાળીપટ્ટી ધારણ કરી ખાનગીકરણ રોકવા માટે તેમજ ગ્રાહકોમાં જાગૃતતા લાવવા માટે અભિયાન છેડયું છે.મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ૩૯ હજારવિજકર્મચારીઓ પણ વિરોધમાં જોડાશે.
ભારત સરકારે ગયા મહિને ઈલેક્ટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ લાવીને આગામી સમયમાં સમગ્ર દેશભરમાં વીજક્ષેત્રે ખાનગીકરણ કરવા માટે શરૃ કરેલી કવાયતનો જીઈબી એસોસિએશન તથા અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ છેડેલા અભિયાન અંતર્ગત એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલે વીજ કામદારોને આહવાન કરેલ છે કે વીજક્ષેત્રમાં ખાનગીકરણને કારણે ગ્રાહકો તથા કામદારોને થનાર નુકશાન બાબતે જાગૃતતા લાવવા માટે આજે પહેલી જૂને તમામ ૧૫ લાખથી વધુ વીજ કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.