અમદાવાદમાં પત્નીને બાંધીને ક્રૂર પતિએ કેરોસીન છાંટીને સળગાવી દીધી:ફરાર પતિની શોધખોળ શરૂ
પત્નીને સળગાવી ઘર બંધ કરીને પતિ ભાગી ગયો :ધુમાડો નીકળતા લોકોને થઇ જાણ
અમદાવાદઃ અમદાવાદમાં ક્રુરતાની સીમા વટાવતો કિસ્સો બહાર આવ્યો છે શહેરના ઈસનપુર વિસ્તારમાં શક્તિનગરમાં રહેતા ક્રૂર પતિએ અગમ્ય કારણોસર પોતાની પત્નીને ઘરમાં બાંધીને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થળ પરથી લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપી છે. ઘટના અંગે પોલીસે પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળ્યા મુજબ આ પરિવાર રાજસ્થાનનો હતો. તે અમદાવાદમાં મજૂરી કામ કરીને ગુજરાતન ચલાવતા હતા. પતિએ પોતાની પત્નીને સળગાવીને પતિ ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘરમાંથી ધૂમાડો બહાર આવતા આસપાસમાં રહેતા લોકોને જાણ થઈ હતી. ત્યારબાદ આ લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર પતિને શોધખોળ શરૂ કરી છે.