અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પીરાણાના કચરાના નિકાલ માટે કેન્દ્ર સરકાર પાસે ૩૭પ કરોડની માંગણી
અમદાવાદઃ અમદાવાદ- JNNURM અંતર્ગત 2013માં લાગુ કરવામાં આવેલા 110 કરોડના સોલિડ વેસ્ટ અપગ્રેડેશન પ્લાન પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે કેન્દ્ર સરકારને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 642.95 કરોડનો પ્લાન સબમિટ કર્યો છે.
આ નવા પ્લાનમાં 374.63 કરોડનો પિરાણા ડંપ ક્લોઝર એન્ડ માઈગ્રેશન પ્લાન પણ શામેલ છે. ગુરુવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બાબતે Detailed Project Report(DPR) અપ્રૂવ કરી દેવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે રિપોર્ટર્સને જણાવ્યું કે, આ ક્લોઝર રિપોર્ટમાં 55 મીટર ઉંચા કચરાના ઢગલાને ઢાંકવાનો તેમજ અન્ય નાના કચરાના ઢગલાઓ પર બાયો-માઈનીંગ પ્રોસેસ કરવાનો પ્લાન શામેલ છે.
આ સિવાય આ રિપોર્ટમાં કચરાને અલગ કરવા માટે 1 લાખ કચરાપેટી, 80 લાખના પીકિંગ મશીન, અને 148 વાહનોની પણ માંગ કરવામાં આવી છે.