અમદાવાદ:એલ.જી.હોસ્પિટલમાંથી ભેદી સંજોગોમાં 12 વર્ષીય બાળકનું અપહરણ
અમદાવાદ: મણીનગર સ્થિત આવેલી એલ.જી.હોસ્પિટલમાં પોતાના નાનાભાઈને દાખલ કર્યો હોવાથી પરિવાર સાથે આવેલો ૧૨ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. આ અંગે તેના પિતાએ તેમના પુત્રના અપહરણની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ લાંભાગામમાં ઈન્દીરા નગર વિભાગ-૩ માં રહેતા દિનેશભાઈ વિશ્વકર્મા (૩૨) પીપળજમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં ત્રણ પુત્ર રાહુલ (૧૨), સુખચેન (૮) અને આયુષ ( દોઢ વર્ષ) અને પત્ની પુજાબહેનનો સમાવેશ થાય છે. આયુષ બિમાર થઈ જતા તેને ૧૬ મે ૨૦૧૮ નાં રોજ એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૨૭ મેના રોજ પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર હતા. બપોરે ૧૨ વાગ્યે જમવા માટે આવેલું ટિફીન જમીને ટિફીન આપવા માટે રાહુલ હોસ્પિટલના બગીચા પાસે ગયો હતો. તે સમયે પરિવારના સભ્યો આયુષ પાસે રોકાયેલા હતા.