SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય સસ્કૃત માધ્યમ ધો.૧૨નું ઝળહળતુ ૯૯ ટકા પરિણામ પંડિત ધવલ શાળામાં પ્રથમ
અમદાવાદ તા. ૩૧ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ચવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું માર્ચ ૨૦૧૮ માં લેવાયેલ સંસ્કૃત માધ્યમ ધો.૧૨
( મધ્યમા દ્વિતીય વર્ષ )નું ઝળહળતુ ૯૯ ટકા પરિણામ આવેલ છે. જેમાં શાળામાં
પ્રથમ.. પંડિત ધવલ સુરેશભાઇ ૯૧.૬૮ પર્સન્ટાઇલ
દ્વિતીય..ઠાકર આદિત્ય મહેશભાઇ ૯૦.૭૩ પર્સન્ટાઇલ
તૃતીય ..પાઠક મીત બીપીનભાઇ ૮૯.૭૯ પર્સન્ટાઇલલ
ઉપરોકત ત્રણેય વિદ્યાર્થીઓ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને વિદેશ વિચરણ કરતા ગુરુકુલ અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાળાના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને મુનિવત્સલદાસજી સ્વામીએ તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા