ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 13,847 કેસ નોંધાયા : આજે વધુ 10,582 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 172 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 7355 થયો : કુલ 4,29,130 લોકોએ કોરોનાને હરાવ્યો : 18 થી 45 વર્ષની વયવાળા 55,235 લોકો સહીત 2,17,093 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5060 કેસ, સુરતમાં 2188 કેસ, વડોદરામાં 783 કેસ, જામનગરમાં 743 કેસ, રાજકોટમાં 700 કેસ, ભાવનગરમાં 573 કેસ, મહેસાણામાં 517 કેસ, ગાંધીનગરમાં 320 કેસ, જૂનાગઢમાં 283 કેસ, બનાસકાંઠામાં 198 કેસ, ખેડામાં 196 કેસ, પાટણમાં 169 કેસ, નવસારીમાં 164 કેસ, કચ્છમાં 161 કેસ, આણંદમાં 146 કેસ, દાહોદમાં 144 કેસ, મહીસાગર અને સાબરકાંઠામાં 135-135 કેસ, પંચમહાલ અને વલસાડમાં 133-133 કેસ, અરવલ્લીમાં 127 કેસ, સુરેન્દ્રનગરમાં 117 કેસ, ભરૂચમાં 113 કેસ, ગીર સોમનાથમાં 106 કેસ, મોરબીમાં 102 કેસ, નોંધાયા : હાલમાં 1,42,139 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 13,847 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 10, 582 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 13,847 કેસ નોંધાયા છે જયારે વધુ 10,582 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 4,29,130 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 172 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 7355 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 73,78 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,42,139 એક્ટિવ કેસ છે, જેમાંથી 637 લોકો વેન્ટિલેટર પર અને 1,44,502 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4,29,130 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 98,11,863 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 24,92,496 બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,23,04,359 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં 18થી 44 વર્ષ સુધીના 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝની રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 13,847 કેસમાં અમદાવાદમાં 5060 કેસ,સુરતમાં 2188 કેસ,વડોદરામાં 783 કેસ,જામનગરમાં 743 કેસ,રાજકોટમાં 700 કેસ,ભાવનગરમાં 573 કેસ,  મહેસાણામાં 517 કેસ,ગાંધીનગરમાં 320 કેસ, જૂનાગઢમાં 283 કેસ, બનાસકાંઠામાં 198 કેસ, ખેડામાં 196 કેસ, પાટણમાં 169 કેસ, નવસારીમાં 164 કેસ, કચ્છમાં 161 કેસ, આણંદમાં 146 કેસ, દાહોદમાં 144 કેસ, મહીસાગર અને સાબરકાંઠામાં 135-135 કેસ, પંચમહાલ અને વલસાડમાં 133-133 કેસ, અરવલ્લીમાં 127 કેસ, સુરેન્દ્રનગરમાં 117 કેસ, ભરૂચમાં 113 કેસ, ગીર સોમનાથમાં 106 કેસ, મોરબીમાં 102 કેસ,નોંધાયા છે

(7:59 pm IST)