News of Saturday, 1st May 2021
કોરોનો બેકાબૂ :વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ૧૩૩ નવા કેસો: વધુ ૧૩ નાં કરુણ મોત: ૬૬ દર્દીઓ સાજા થયા
( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લામાં કોરોના બેકાબૂ જ જણાય છે.૧૩૩ વધુ નવા કેસો ની સામે આજે ૧૩ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે.
આજે ૧ લી મે ના રોજ વલસાડ જિલ્લાના તાલુકા ઓ માં વલસાડ ૫૭, પારડી ૦૯, વાપી ૧૦, ઉમરગામ ૨૫, ધરમપુર ૩૦ અને કપરાડા ૦૨ મળી કુલ ૧૩૩ નવા કેસો આવેલ છે.જોકે આજે ૬૬ દર્દી ઓ સાજા થઈ એમના ઘરે ગયા છે.
(7:16 pm IST)