News of Saturday, 1st May 2021
વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા નજીક તબીબોની બેદરકારીના કારણોસર યુવાન દર્દીનું મોત નિપજતા પરિવારના સભ્યોનો હોબાળો
વડોદરા: શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબોની નિષ્કાળજીના કારણે દર્દીનું મોત નીપજયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી. અત્રે નોંધનીય છે કેસ ક્રિષ્ના હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં મોટો તફાવત જણાતા પરિવારજનોએ તપાસની માગ કરી હતી. મૃતકના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દર્દીની સારવાર બરાબર ના જણાતા રિપોર્ટ માગ્યા હતા, પરંતુ, હોસ્પિટલ સત્તાધિશોએ આનાકાની કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બનતા રિપોર્ટ આપ્યા હતા, ત્યાર બાદ અન્ય ખાનગી લેબોરેટરીમાં મારા પુત્રના રિપોર્ટ કરાવતાં જમીન-આસમાનનો તફાવત આવ્યો છે. ગઈકાલે મારો પુત્ર હરતો ફરતો હતો. તબીબની નિષ્કાળજીના લીધે તેનું મોત નિપજ્યું છે.
(4:54 pm IST)