ગુજરાત
News of Saturday, 1st May 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૧૭૦ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હાઉસિંગ બોર્ડ ૦૧, ચિત્રકૂટ ૦૧, આદિત્ય ૦૧, કુંભારવાડ ૦૧, વૃંદાવન સોસાયટી ૦૧ તથા નાદોદ તાલુકામાં રાજુવાડીયા ૦૧, વાવડી ૦૧, વાઘોડિયા ૦૧, વડીયા ૦૧, કરાઠા ૦૧, તરોપા ૦૧, વિરપોર ૦૧, કુમસગામ ૦૧, ઉમારવા ૦૧, નાવરા ૦૧, સિસોદ્રા ૦૧, ભુછાળ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં ગુનેઠા ૦૧, ગોરા ૦૧,કોઠી ૦૧, કોયરી ૦૧, અંકતેશ્વર ૦૧, ગભાણા ૦૧, ગરુડેશ્વર ૦૧, સોનગામ ૦૧, માંકડઆંબા ૦૧, ભીલવસી ૦૧, સેંગપુર ૦૧, કલીમકવાણા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં બુજેઠા ૦૧, મોરિયા ૦૧, માંગુ ૦૧, સાવલી ૦૧, નવાપુરા ૦૧, આંબલીયા ૦૧, ઉતાવડી ૦૧, કારેલી ૦૧, ટાકા ૦૧, અગર ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં સરીબાર ૦૧, કમોદવાવ ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબારા ૦૧, રણબુડા ૦૧, સેલંબા ૦૧, ખડકુની ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૫ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૭૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૩ દર્દી દાખલ છે, આજે ૪૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૯૧૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૧૭૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૬૦૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:04 pm IST)