ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજપીપળા દરબાર રોડ પારેખ ખડકીમાં રખાયેલા લક્ષ્મી હવનમાં કોરોના નાબુદી માટે ખાસ પ્રાર્થના કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે કેટલાય લોકો મોત ને ભેટ્યા છે ત્યારે ઠેર ઠેર કોરોના નાબુદી માટે પ્રાર્થના પણ કરાઈ હતી.
દર વર્ષે રાજપીપળા દરબાર રોડ પારેખ ખડકી વિસ્તારમાં લક્ષ્મી હવન કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ આજ રોજ આ હવન કરવામાં આવ્યો હતો જેમાં ફળિયાના ભક્તો એ પોત પોતાના ઓટલા પર બેસી સોસીયલ ડિસ્ટન્સ નું પાલન પણ કર્યું હતું ત્યારે આજના આ હવન માં દેશ-દુનિયા માંથી કોરોના નાબૂદ થાય લોકો સ્વસ્થ થાય અને મૃત્યુ આંક ઘટે તેવી ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી

(10:57 pm IST)