ગુજરાત
News of Thursday, 1st April 2021

અમદાવાદ : પાગલ પ્રેમીએ પ્રેમીકા ના ઘરે જઈને ગળાફાંસો ખાધો

પ્રેમિકા ના પરિવારજનોએ લગ્ન કારવાની ના પડતા પગલું : આપઘાત કે હત્યા : પોલિસ દ્વારા તાપસ

અમદવાદ: સાબરમતીના કાલી ગામ પાસે પ્રેમિકાના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમી યુવકને લાગી આવતા પ્રેમિકાના ઘરે જઈને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

સાબરમતી કાળીગામ પાસેની દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી નજીકના મકાનમાં પ્રેમમાં પાગલ બનેલ પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જો કે ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. યુવકના ગળા પર ઇજાના નિશાન હોવાથી હત્યા કે આત્મહત્યા અંગે પીએમ રિપોર્ટ બાદ પોલીસ ખુલાસો કરશે.

શહેરના સાબરમતીના કાળીગામ પાસે આવેલ દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરીની પાસે આવેલા મકાનોમાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત બુધવારે સાંજના સમયે યુવક તેની પ્રેમિકાના ઘરે ગયો હતો અને યુવકે યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પરિવારજનો સમક્ષ રજુ કર્યો હતો. પરિવારજનો બંન્નેના પ્રેમ સંબંધથી ખુશ ન હોવાથી લગ્નની મજુરી આપી ન હતી. પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકા સાથે લગ્ન ન થઈ શકવાના હોવાથી ચિંતામાં મુકાઈ ગયો હતો યુવતીના પરિવારે યુવકને ઘરેથી જતા રહેવા જણાવ્યું હતું.

દરમિયાન યુવક પાછળના રૂમ તરફ ગયો હતો જો કે થોડીવાર બાદ યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી યુવતીના પરિવારે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. બીજી બાજુ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસે તપાસ કરતા યુવકના ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. જેથી પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપી યુવકના પરિવારને ઘટનાની જાણ કરી હતી. બાદમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

(8:45 pm IST)