News of Wednesday, 1st April 2020
તબલીગી જમાતના કાર્યક્રમમાંથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ કેમ ના થયું : રાજ્યમાં પ્રવેશ કેમ આપ્યો ? હાઇકોર્ટનો સવાલ
ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી છતાં કેમ જમાવડો થયો. ?
અમદાવાદ : રાજ્યમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાંથી આવેલા લોકોને લઈ પણ મામલો ગરમાયો છે. ગુજરાતમાંથી નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કરી છે.
હાઈકોર્ટે ધાર્મિક સ્થળો પરના જમાવડા બંધ કરવા સરકારને આદેશ કર્યો છે. તેમજ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે કેટલા લોકો ગુજરાતમાં આવ્યા આવ્યા અને તેમને કેમ પ્રવેશ આપ્યો તે અંગે ખુલાસો કરવા કહ્યું છે. આવા લોકોનું ગુજરાતમાં સ્કેનિંગ કેમ ન થયું. ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી છતાં કેમ જમાવડો થયો.
(9:02 pm IST)