News of Wednesday, 1st April 2020
CBSE ના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેસ્ટના આધારે માસ પ્રમોશન
ધો. 10 અને 12માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંય : 80 વિષયમાંથી 29 મુખ્ય વિષયની જ લેવાશે
અમદાવાદ : CBSEના લાખો વિદ્યાર્થીઓને રાહત :ધોરણ 1થી 8ના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશન અપાશે ,ધો.9 અને 11ના વિદ્યાર્થીને સ્કૂલ ટેસ્ટના આધારે પ્રમોશન આપશે ધો. 10 અને 12માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંય કરાયો છે, 80 વિષયમાંથી 29 મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાશે,બાકીના વિષય માટે બહાર પડશે, CBSEની નવી પોલિસી જાહેર થઇ છે, કોરોનાના કારણે બોર્ડની પરીક્ષાની તારીખ અત્યારે જાહેર નહીં થાય ધો. 10 અને 12ની પરીક્ષા પહેલા 10 દિવસની નોટિસ આપશે,ગુજરાતની 250 સ્કૂલના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે
(7:56 pm IST)