News of Thursday, 1st February 2018
નડિયાદની ટુંડેલ તલાવડીમાં હાથપગ ધોવા જતા ઈસમ પાણીમાં ગબડી પડતા મોતને ભેટ્યો
નડિયાદ:તાલુકાના ટુંડેલ ગામે મુમનીયા તલાવડી આવેલ છે. ગઈકાલે રાત્રે જયંતિભાઈ રામાભાઈ ગોહેલ હાથપગ ધોવા જતાં કે અગમ્ય કારણસર તલાવડીમાં ગબડી પડતાં ડૂબી ગયો હતો.આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ તલાવડીમાંથી જયંતીભાઈ રામાભાઈ ગોહેલ (ઉં.વ.૪૦)નો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ બનાવ અંગે હસમુખભાઈ રામસીંગભાઈ વાઘેલાએ જાણ કરતા વસો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(5:01 pm IST)