Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમદાવાદમાં કોરોનાના ફૂંફાડા વચ્ચે ફ્લાવર શો યોજાશે ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે : ફૂડ કોર્ટની સુવિધા નહીં

પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ QR કોડને સ્કેન કરી શકે

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસો રોજબેરોજ વધતા જાય છે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાય રહ્યાં છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો નું આયોજન કરાયું છે જો કોરોનાના કેસ વધશે તો કોરોનાનું એપી સેન્ટર સાબરમતી રિવરફ્રન્ટ બનશે. આવનારી 8 જાન્યુઆરીથી લઈ 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં દૈનિક કોરોનાના કેસોમાં સતત વધારા વચ્ચે એએમસી દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફ્લાવર શો માં ટિકિટ ઓનલાઈન લેવાની રહેશે અને તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન અવશ્ય કરવાનું રહેશે. અમદાવાદમાં દરરોજ 200થી વધારે કેસો સામે આવી રહ્યા છે જેથી એએમસી દ્વારા ભીડ ભેગી ન કરવી અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ એએમસી પોતે જ કોરોનાને આમંત્રણ આપી રહી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે.

એએમસી દ્વારા આયોજન કરવામાં આવેલ ફ્લાવર શો ની ટિકિટ ઓનલાઈન લેવાની રહેશે. આ ટિકિટનો દર બાળકો અને સિનિયર સીટીઝન માટે 30 રૂપિયા રાખવામાં આવી છે અને 13 થી 65 વર્ષ સુધીના લોકોના 50 રૂપિયા રાખવામાં આવ્યું છે. ટિકિટ વેબસાઇટ www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com પર ટિકિટ બુક કરાવી શકે છે અથવા પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ QR કોડને સ્કેન કરી શકે છે.

કુલ 65000 ચોરસ મીટર જગ્યામાં આ ફલાવર શો યોજાશે. જેમાં 7 લાખ ફૂલો લગાવવામાં આવશે. અલગ અલગ રાજ્યના અને દેશોના ફૂલો લગાવવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ત્રણથી ચાર જેટલી ટીમો પણ ફલાવર શોમાં ચેકિંગ કરશે. જે પણ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને દંડ કરશે. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી અને ફૂડ કોર્ટ સુવિધાઓ રહેશે નહીં. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે.

(7:44 pm IST)