Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

તારાપૂર-બગોદરા હાઇવે પર પુરપાટ ઝડપે જતી કારે મહિલાને હડફેટે લીધી: સારવાર દરમ્યાન મોત

આણંદ : તારાપુર-બગોદરા રોડ ઉપર આવેલા ઈસરવાડા પાસે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારે મહિલાને ટક્કર મારતાં તેણીનું સારવાર દરમ્યાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઈસરવાડા ખાતે રહેતા ફરિયાદી કાન્તીભાઈ મધુભાઈ રાઠોડના કુટુંબી ભાઈ ભગાભાઈ રયજીભાઈ રાઠોડને ત્યાં માતાજીના માંડવાનું આયોજન કર્યું હતુ. જેમાં ભાગ લેવા માટે કાન્તીભાઈના ધોલેરા તાલુકાના રાજપુર ગામે રહેતા બહેન શારદાબેન કાળુભાઈ બારૈયા આવ્યા હતા. ગઈકાલે રાત્રીના સુમારે ઈસરવાડા રામજીપુરા નિશાળ પાસે માતાજીનો માંડવો પતાવીને પરત ચાલતાં-ચાલતાં ઘર તરફ જવા નીકળ્યા હતા. સવા એક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી ચઢેલી કાર નંબર જીજે-૧૬, એબી-૬૫૧૩એ ટક્કર મારતાં શારદાબેનને માથામાં તથા પગના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને પ્રથમ સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલ ત્યાંથી ગોકુલપુરા અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. 


 

 

(5:55 pm IST)