Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ અસરકારક બનાવવા માટે દોઢ ડઝનથી વધુ પોલીસ ઇન્સપેકટરોના આંતરીક ફેરફાર : જામનગરના એન.કે. વ્યાસ રાજકોટ ગ્રામ્યમાં, સુરેન્દ્રનગરના એમ.બી. જાની મોરબીમાં( રાજકોટ શહેરનો વધારાનો હવાલો), પાટણના એસ.એચ. આચાર્યને પણ રાજકોટ શહેર એસીબીનો હવાલો સુપ્રત કરતા એસીબી વડા

રાજકોટઃ રાજયના લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને વધુ અસરકારક બનાવવા માટે  રાજયના ઇન્ચાર્જ એસીબી  વડા કેશવકુમારએ કેટલાક મહત્વના નિર્ણયો લઇ એસીબી પીઆઇ ના આંતરીક ફેરફારો કર્યા છે. આ ફેરફારમાં જામનગરના એન.કે વ્યાસ રાજકોટ ગ્રામ્યમાં, સુરેન્દ્રનગરના એમ.બી. જાની મોરબીમાં (રાજકોટ શહેરના વધારાના હવાલા સાથે) તથા  પાટણના એસ.એચ. આચાર્યને પણ રાજકોટ શહેર એસીબીમાં બદલી કરતો હુકમ કરવામાં આવ્યો છે. અન્ય ફેરફારો આ મુજબ છે.

(9:12 pm IST)