Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વડોદરાના પાણીગેટ દરવાજા નજીક હોસ્ટેલના રૂમમાં તોડફોડ: વિદ્યાર્થીઓમાં દોડધામ જોવા મળ્યો

વડોદરા:શહેરના પાણીગેટ દરવાજા બહાર આવેલી સરકારી આયુર્વેદિક કોલેજની હોસ્ટલમાં ગુરુવારની મોડી રાતે થયેલી તોડફોડના પગલે દોડધામ મચી ગઈ હતી.

હોસ્ટેલના રેક્ટર ડો.મુકેશ રાવલના રેક્ટર રુમને નિશાન બનાવીને તેના દરવાજાના કાચનો ભુક્કો બોલાવી દેવાયો હતો.એ પછી આ મામલે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસ કંટ્રોલ રુમને જાણ કરવામાં આવી હતી.જેના પગલે મધરાતે પોલીસ કાફલો હોસ્ટેલમાં ઉમટી પડયો હતો.જોકે પોલીસને કોઈ શંકાસ્પદ હિલચાલ કરનાર વ્યક્તિ મળ્યો ન હતો.આ ઘટનાના પગલે પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બહાર દોડી આવ્યા હતા.

જોકે તોડફોડ થઈ ત્યારે ડો.રાવલ અમદાવાદ ગયા હતા.તોડફોડ કરનારાઓનો ઈરાદો ડો.રાવલને નિશાન બનાવવાનો પણ હોઈ શકે છે તેવુ ચર્ચાઈ રહ્યુ હતુ.દરમિયાન આજે પાછા આવેલા ડો.રાવલે એક વાતચીતમાં તોડફોડની ઘટનામાં અગાઉ કોલેજમાં વોટર સપ્લાય કરનારા વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી.

(3:27 pm IST)