Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમદાવાદના વાડજ-નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ સ્થાપન

ફટાકડા ફોડીને ગુલાબની છોળો ઉડાવી :પાંચ દિવસ પૂજા અર્ચન કરીને વિસર્જન કરાયું

 

અમદાવાદના વાડજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ સ્થાપન કરાયું હતું સામાન્યપણે પોલીસ સ્ટેશનમાં ગંભીર અને ડરામણું વાતાવરણ જોવા મળતું હોય છે.પરંતુ પોલીસ સ્ટેશનમાં અલગ માહોલ જોવા મળ્યો હતો

  પોલીસ સ્ટેશનમાંમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સાથો સાત ગુલાલની છોળો ઉડી હતી. પોલીસ કર્મીઓ દ્રારા નાચગાન કરવામાં પણ આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં પ્રથમવાર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ તેમની પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યુ હતું.

(12:46 pm IST)