Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડના પુત્રી સરલાદેવીનું 83 વર્ષે દુઃખદ અવસાન

મહારાષ્ટ્રના સાવંતવાડીનાં રાજમાતા અને વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડનાં પુત્રી સરલાદેવી ગાયકવાડનું 83 વર્ષની ઉંમરે 18મી જુલાઈએ બુધવારે રાત્રે નિધન થયુ છે. તેણે 1951માં સાવંતવાડીના મહારાજા શિવરામ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા અને મહારાણી બન્યા હતા. તેઓએ ગંજીફા બનાવવાની હસ્તકલાને સાવંતવાડીમાં ભારે પ્રોત્સાહન આપ્યું હતું.

(7:27 pm IST)