Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ગુજરાતના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા નહિ રહે હાજર !!

નવી દિલ્હી : આજે મોદી સરકાર પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આજે આ બાબતે સંસદમાં ચર્ચા હાથ ધરવામાં આવશે. ત્યારે આ વોટિંગમાં ગુજરાતાં 26માંથી 25 સાંસદ સભ્યો હાજર રહેશે.

  મળતી જાણકારી મુજબ ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ  રાદડિયા મતદાન કરવા કે સંસદમાં ચર્ચામાં ભાગ લેવા દિલ્હી નહીં જાય. કારણ કે હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોય તેમનું દિલ્હી જવું શક્ય નથી

(11:09 am IST)