Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા વેળાએ ભીડમાં મોબાઈલ-પર્સની ચોરી કરતા રીઢા આરોપીઓને ઝડપી લીધા

સુરતમાં અષાઢી બીજના દિવસે સુરતના જુદા-જુદા વિસ્તારમાં ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં સ્ટેશનેથી સૌથી મોટી ઈસ્કોન મંદિરની રથયાત્રામાં તસ્કરોએ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા તસ્કરોને બખ્ખા થઈ ગયા હતા. જો કે, પોલીસે પણ આવા રીઢાઓ પર બાજ નજર રાખી હતી. અને અનેકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતા.

(7:29 pm IST)