Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અમદાવાદમાં ભેખડ તૂટી પડતા ૩ વ્‍યકિતના મોતઃ ચાર ગંભીરઃ ૭થી ૮ વ્‍યકિત દટાયા હોવાની આશંકા

અમદાવાદઃ આનંદનગર પોલીસ સ્ટેશન પાછળ કલાઉડ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે અચાનક ભેખડ ધસી પડવાની ઘટના બની છે. શાલિગ્રામ ટાવર પાસેની ભેખડ ધસી પડતાં ત્રણ વ્યક્તિનાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે તેમ જ અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. ઘટનામાં હજી બીજી 7થી 8 વ્યક્તિ દટાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન પાછળ શાલિગ્રામ ટાવર પાસે કલાઉડ કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ભેખડ ધસી પડતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં છે અને બીજા ચાર લોકોને ગંભીર ઇજા થઈ છે. હજી બીજી સાતથી આઠ વ્યક્તિ દટાઈ હોવાની આશંકા કરાઈ રહી છે. દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

હાલમાં પોલીસ અને સ્થાનિક દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.  હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવેલા  ચાર ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે હજી મૃત્યુ આંક વધવાની શક્યતા રહેલી છે.

(7:57 pm IST)