Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

માનસિક સંતુલન ગુમાવી બેઠેલ અંકલેશ્વરના યુવકે ભારે કરીઃ પોતે ઉન્નાવ કાંડનો આરોપી નથી તેવું રટણ કરીને આપઘાતનો પ્રયાસ કર્યો

અંકલેશ્વરઃ અંકલેશ્વરના નાગેન્દ્ર રાજપાલનું માનસિક સંતુલન ડગી જતા તે બની રહેલી બિલ્ડિંગના ચોથા માળ ઉપર ચઢી ગયો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે પોતે ઊંનાઓ કાંડનો આરોપી નથી અને પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યો હતો. નાગેન્દ્ર આત્મહત્યાનો પણ પ્રયાસ કરતા સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોની તેને નીચે ઉતારવાની તમામ કોશિશ નિષ્ફળ જતાં પોલીસ અને ફાયર ફાઇટરને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સકોરીયા વાતચીત માટે બિલ્ડીંગ ઉપર ચઢવાનો પ્રયાસ કરતા નાગેન્દ્ર કુદવાની તૈયારી બતાવતા ચિંતાજનક માહોલ સર્જાયો હતો. એક કલાક સુધી મનાવવામાં આવતા આખરે વાતચીતના બહાને પોલીસે બિલ્ડિંગના ચોથા માળે પહોંચી નાગેન્દ્રને સલામત નીચે ઉતાર્યો હતો.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર, નાગેન્દ્ર રાજપાલ કહેતો હતો કે, "મેં નિર્દોષ હું, દેખિયે ઉન્નાવ કાંડ હુવા હે વહાં જો બેગ મિલી હે વો એ ઉસીને ફીક્વાયા. હમારે ગાવ કે દો લડકે આયે થે ઉસે ખોજને"

(7:08 pm IST)