Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સામાજિક સમરસતા મંચ દ્વારા માંડલમાં વાલ્મીકિ ઋષિ જયંતિ નિમિત્તે પૂજન કાર્યક્રમ

તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સામાજિક સમરસતા મંચ દ્વારા માંડલ નગરમા વિવિધ વિસ્તારમાં વાલ્મીકી ઋષિ જયંતિ નિમિતે પુજન કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો. જેમા 230 લોકોએ પુજન કર્યું હતું. સામાજિક સમરસતાના દર્શન કરાવતો ઉત્સવ એટલે વાલ્મીકી ઋષી જયંતિ. માંડલ નગરમાં  ખંભલાવ ચોક બજારમા તથા પરાવાસ દશામા મંદિર તથા તળાવ મંદિરે પુજન અર્ચન  કરી સૌ નગરજનો દ્વારા સામાજિક સમરસતા વધુ મજબુત બને અને હિન્દુ સમાજ મજબુત બને એવી પ્રાર્થના કરી હતી.

(6:37 pm IST)