Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રાજપીપળામાં સાદગીપૂર્ણ રીતે ઇદે મિલાદની ઉજવણી:કોરોના દૂર થાય તે માટે ખાસ દુઆ કરાઈ: કોરોના મહામારીના કારણે ઝુલુસ મોકૂફ રખાયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : શુક્રવારે ઇસ્લામિક મહિના મુજબ ત્રીજો મહિનો રબીઉલ અવ્વલની ૧૨ તારીખે ઇસ્લામના મહાન પયગંબર સાહેબનો  જન્મ દિવસ ખૂબ ધામધૂમથી સમગ્ર દુનિયામાં ઉજવાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગી પૂર્ણ રીતે ઇદે મિલાદની ઉજવણી કરાઈ હતી.

 

  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા શહેરમાં પયગંબર સાહેબના જન્મ દિનની ઉજવણી કરાઈ જેમાં મસ્જિદમાં કુરઆન પઠન અને સલામ પઢીને મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદેમિલાદની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરી હતી તેમજ પયગંબર સાહેબના આજે જન્મ દિવસે સમગ્ર વિશ્વમાં શાંતિ અમન ફેલાય અને કોરોના મહામારી દૂર થાય તેમજ જે લોકો આ બીમારીમાં સપડાયા છે તેઓને તંદુરસ્તી મળે તેવી ખાસ દુઆ કરાઈ હતી

(10:04 pm IST)