Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમદાવાદના ઇસનપુરમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ નરાધમ પાડોશી લાભ લઇ ફરાર: પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી સાથે બળાત્કાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમ પાડોશીએ અસ્થિર મગજની યુવતિ સાથે બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો. જો બનાવના વિગતની વાત કરીએ તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ એક નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગ નામના આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે. પોલીસે યુવતીના કાકીની ફરિયાદ લઈ યુવતિનું મેડિકલ કરાવી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલ બળાત્કારના ગુનાની વાત કરીએ તો. 29 ઓકટબરની રાત્રીના સમય યુવતિ ઘરમાં એકલી સુઈ રહી હતી, ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. નોંધનીય છે કે, જ્યારે આરોપી દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે આવાજ આવતા પાડોશીઓ જાગી ગયા અને તે સમય આરોપી ભાગી ગયો અને યુવતિ નગ્ન અવસ્થામાં ઘરમાં મળી આવી હતી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ તેની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી છુટ્ટક મજુરી કરે છે. ઉપરાંત આરોપીએ અગાઉ કોઈ ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

(5:19 pm IST)