Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમદાવાદના સાણંદમાં નવા વર્ષની શરૂઆતમાં જુના ઝઘડાની અદાવત રાખી સગીરને મારી નાખવાના ઇરાદે અપહરણની ઘટના: ત્રણ યુવકોની ચુંગાલમાંથી સગીર જીવ બચાવવામાં સફળ રહ્યો

અમદાવાદ: સાણંદમાં રહેતા સગીરને મારી નાખવાના ઇરાદે અપહરણની ઘટના બની હતી. નવા વર્ષની રાતે ત્રણ યુવકોએ અગાઉના ઝઘડાની અદાવત રાખી એક્ટિવા પર બેસાડી અપહરણ કર્યું હતું. સગીર યુવકોની ચુંગાલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને એક સોસાયટીમાં પોહચી જીવ બચાવ્યો હતો સાણંદ પોલીસે ત્રણ યુવક સામે અપહરણ અને મારામારી, ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

સાણંદ નવાવાસમાં રહેતો 17 વર્ષનો સગીર નવા વર્ષની રાતે 9.30 વાગ્યે નાસ્તો કરી ઘર તરફ જતો હતો ત્યારે ઘોડાગાડી પાસે પોહચ્યો તયારે એક્ટિવા પર એક યુવક આવ્યો હતો અને આજે તને જાનથી મારી નાખવાનો છે તેમ ધમકી આપી હતી. દરમ્યાનમાં સામેથી રાજપાલસિંહ ઉર્ફે ભુરી પરમાર (રહે.સાણંદ) એક્ટિવા પર અન્ય યુવક સાથે આવ્યો હતોમ રાજપાલસિંહે આને ઉપાડી લો એમ કહી મોઢું દબાવી એક્ટિવા પર અપહરણ કરી લીધું હતું. શબરી હોટલ પાછળ રોડ પર લઈ જઈ અંધારામાં ખેતરમાં ઉભો રાખી અને માર માર્યો હતો.

(5:19 pm IST)