Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરમગામના વાસણ ગામમા ચુંવાળીયા ઠાકોર યુવા નવનિર્માણ સેનાનુ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના વાસણ ગામમા ચુંવાળીયા ઠાકોર યુવા નવનિર્માણ સેનાનુ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમમા સમસ્ત 42 ભાલ નળકાંઠા, સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા તાલુકાના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

                આ કાર્યક્રમમાં ચુંવાળીયા ઠાકોરના તેજસ્વી તારલાઓનુ સન્માન કરીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચુંવાળીયા ઠાકોર સમાજના લોકોને શિક્ષિત, વિકસિત અને સંગઠિત બનવા અપીલ કરવામાં આવી હતી.

(10:14 pm IST)