Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સુરત ;સાઈ મંદિરે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ લીધા બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર

પ્રસાદ લીધા બાદ ઝાડા ઉલ્ટીની અસર ;તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

સુરત જિલ્લાના બારડોલી-કડોદ રોડ પર આવેલા સાંઈ મંદિરમાં માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ લીધા બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે.

પ્રસાદ લીધા બાદ તમામ લોકોને ઝાડા-ઉલટીની અસર થઈ હતી.  જેથી તમામ લોકોને ખાનગી વાહન અને 108ની મદદથી મઘરાત્રે સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.હતા હાલમાં તમામ લોકોની તબીયત સુધારા પર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાથી કેટલાક દર્દીઓને હોસ્પિટલ દ્વારા રજા પણ આપી દેવામાં આવી છે. જોકે, આ તમામ લોકોને કયા કારણોસર ફૂડ પોઈઝનની અસર થઈ તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

(10:37 pm IST)