Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

રાજ્યમાં શું ખૂલશે, શું બંધ?

પહેલી જૂનથી અમલમાં આવતા અનલોક - ૧માં : અનલોક-૧ ૩૦ જૂન સુધી રહેશે, કન્ટેનમેન્ટ વિસ્તારોમાં લાગુ કરાયેલા નિયમોનું કડક પાલન કરવાનું રહેશે

અમદાવાદ, તા. ૩૧  : ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉન ૪.૦ બાદ હવે અનલોક સિરીઝની શરૂઆત થઈ છે. આજે લોકડાઉન ૪.૦નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી અનલોક-૧ શરૂ થવા જઈ રહ્યું છે, જે ૩૦ જૂન સુધી લાગુ રહેશે. જેમાં માત્ર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં લાગુ કરાયેલા નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.  કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પરવાનગી આપ્યા બાદ ગુજરાત સરકરા દ્વારા અનલોક-૧ની છૂટછાટોની જાહેરાત કર્યા પછી સત્તાવાર જોહરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ રાજ્યમાં હવે એસટીની સાથે ૬૦ કેપેસિટી સાથે ખાનગી બસો પણ દોડશે. ગુજરાતમાં કાલથી કઈ કઈ પ્રવૃત્તિઓની છૂટ મળશે તેમજ કઈ પ્રવૃત્તિઓ માટે જોવી પડશે રાહ? જાણો બધું...

અનલોક - ૧માં ગુજરાતમાં શું ખૂલશે ?

*       ૧ જૂનથી કન્ટેન્મેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો કામ કરતી થઈ જશે.

*       બજારો સંપૂર્ણપણે ખોલી શકાશે. માસ્ક-સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સના નિયમો જાળવવા પડશે.

*       અમદાવાદ અને સુરત સહિત એસટી બસો ૬૦ ટકા કેપિસીટ સાથે દોડાવાશે.

*       કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે.

*       રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુનો અમલ કરાશે.

*       સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવારથી શરૂ કરવામાં આવશે.

*       હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ૮મી જૂન સુધી ચાલુ નહીં કરી શકાશે.

ગુજરાતમાં શું નહીં ખૂલે ?

*       કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પ્રકારની છૂટછાટ નહીં.

*       શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો-કોચિંગ ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ-એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ ખોલવા અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે.

*       રાજ્યમાં તમામ મૉલમાં મ્લ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ બંધ રહેશે.

*       બગીચાઓ, વૉટર પાર્ક, ફન પાર્ક, બીચ અને પ્રવાસનના સ્થળો પણ બંધ રહેશે.

અનલોક-૧માં ગુજરાતમાં મળેલી અન્ય છૂટછાટ

*       ટુ વ્હીલર પર બે વ્યક્તિ અવર-જવર કરી શકશે. બંને વ્યક્તિ એક જ પરિવારના હોવા જોઈએ. ફોર સીટર કાર અગાઉનો ૧ + ૨નો નિયમ લાગુ, મોટી અથવા એસયુવીમાં હવે ૧ + ૩ લોકોને મુસાફરી માટે છૂટ

*       સમગ્ર રાજ્યમાંથી દુકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ.

*       સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ

(9:51 pm IST)