Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વડોદરામાં મનપાદ્વારા 56 અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવામાં આવશે:ઉમેદવારોની અરજી ઓનલાઇન સ્વીકારવામાં આવશે

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે અર્બન હેલ્થ ક્લીનીક માટે MBBS ડોકટર અને પેરામેડિકલ સ્ટાફ લેવાનું છે અને માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે. હાલ કોરોનાના રોગચાળાને કારણે રોગચાળો વ્યાપક બન્યો છે ત્યારે ડોક્ટરો અને પેરામેડિકલના સ્ટાફની ભરતીનું કામ હાથ પર લેવાયું છે.

વડોદરા શહેરમાં 17 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને દર 50,000ની વસ્તીએ 1 અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું છે. એટલે શહેરમાં હાલ 34 અર્બન હેલ્થ સેન્ટર ચાલુ છે. ત્યાં સવારની કામગીરી ચાલે છે પરંતુ અર્બન હેલ્થ ક્લીનીક પર સાંજે 5:00થી 9:00 સુધી આરોગ્યલક્ષી કામગીરી ચાલુ રખાશે. જેથી વસાહતના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહેશે.

(5:45 pm IST)