Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જી.એસ.પી.સી ગ્રુપ કંપની દ્વારા રૂ. ૫૨.૫૦ કરોડઃ રૂપાણીને ચેક અર્પણ કરતા એમ.કે.દાસ

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસ સામે લડવા માટેના ફંડ અંતર્ગત મુખ્ય મંત્રી રાહત નિધિમાં ફાળો આપવાની કરેલી અપિલને વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે. ગુજરાત સરકારના સાહસ જી.એસ.પી.સી ગ્રુપ કંપની દ્વારા ૫૨.૫૦ કરોડ તેમજ જી એસ પી સી કર્મીઓના એક દિવસના વેતનના સ્વૈચ્છિક ફાળા પેટે ૫૫ લાખની દાન રકમના ચેક ઊર્જા અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કર્યા હતા. જી એસ પી સીના ૧૦ કરોડ ગુજરાત પેટ્રોનેટ લી.ના ૨૦ કરોડ ગુજરાત ગેસ કંપનીના ૨૦ કરોડ અને સાબરમતી ગેસ લિ ના ૨.૫૦ કરોડ મળી કુલ ૫૨.૫૦ કરોડનું આ દાન ભંડોળ મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવામાં આવ્યું છે.

(11:36 am IST)