Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજ્યમાં કોરોના સંક્રમિત પાંચ લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : ઘરે પહોંચ્યા

સ્વસ્થ થયેલા લોકોમાં ત્રણ વૃદ્ધ અને બે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5 લોકો સ્વસ્થ થતા તેઓને  હોસ્પિટલમાંથી રજા અપાઈ છે કોરોનાને પરાસ્ત કરી સ્વસ્થ થયેલા ચાર લોકોમાંથી ત્રણ વૃદ્ધ અને બે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા. જ્યારે બે લોકો વેન્ટીલેટર પર છે અને 59ની હાલત સ્થિર છે.

અમદાવાદમાં  વૃદ્ધ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.જ્યારે અસારવા સિવિલમાંથી 60 વર્ષીય વૃદ્ધને રજા આપી છે. આ પહેલા 29 માર્ચે અમદાવાદમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ બનેલી આંબાવાડીની યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોનાનો શિકાર બની હતી.

(9:56 am IST)