Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમદાવાદના ઘાટલોડિયામાં 12માં માળેથી અગમ્ય કારણોસર મહિલાએ આપઘાત કર્યો

અમદાવાદ: શહેરના ઘાટલોડીયાના શાસ્ત્રીનગરમાં રહેતી ૩૮ વર્ષની મહિલાએ સરદાર આવાસ યોજનાના મકાનના ૧૨ મા માળની ગેલેરીમાંથી પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. ઘાટલોડીયા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. જોકે આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી, એમ પોલીસે કહ્યું હતું.

ઘાટલોડીયામાસ્શાસ્ત્રીનગરમાં અમી એપાર્ટમેન્ટમાં સુમિતાબહેન ડિમ્પલભાઈ ડોમણીયા (૩૮) તેમના પતિ, પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. ૩૦ જાન્યુઆરીના રોજ અંદાજે ૯ વાગ્યે તે પેટમાં દુખાવો હોવાથી દવા લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.

બાદમાં સુમિતાબહેને નજીકમાં આવેલા સરદાર આવાસ યોજનાના મકાનની ૧૨ મા માળની સિડી પાસેથી ગેલેરીમાંથી પડતું મુક્યું હતું. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા ઘાટલોડીયા પોલીસ ઘટનાસ્થલે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(5:29 pm IST)